શહેર કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીજી અને લાલબહાદુર શાષાીજીની જન્મજયંતિએ પુષ્પાંજલી-બાઇક રેલી યોજાઇ
રાજકોટ : રજી ઓકટોબરના રોજ પૂ.ગાંધીબાપુ અને સ્વ. વડાપ્રધાન લાલબહાદુર શાષાીજીની જન્મજયંતિએ શહેર કોંગ્રેસ દ્વારા બાઇક રેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરાઇ. જેમાં શહેર કોંગ્રેસ દ્વારા સવારે ૭:૪૫ કલાકે સ્વ. લાલબહાદુર શાષાીજી પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ બાઇક રેલી દ્વારા જયુબેલી બાગ ખાતે આવેલ ગાંધીબાપુની પ્રતિમાને ફુલહાર કરાયા હતા. આ કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, કાર્યકારી પ્રમુખ સંજયભાઇ અજુડીયા, રાજકોટ મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, ફ્રન્ટલ સેલના યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ જાડેજા, ચેરમેનો મહિલા પ્રમુખ દિપ્તીબેન સોલંકી, જીલ્લા મહિલા પ્રમુખ ચાંદનીબેન લીંબાસિયા, માઇનોરીટીના ચેરમેન યુનુશભાઇ જુણેજા, વોર્ડ પ્રમુખ કલ્પેશભાઇ સાદરાણી, દેવેન્દ્રસિંહ રાણા, કલ્પેશભાઇ પીપળીયા, ગીરીશભાઇ ઘરસંડિયા, જગદીશભાઇ ડોડીયા, સુજીતભાઇ મણવર, બીજલભાઇ ચાવડીયા, વાસુરભાઇ ભંભાણી, પ્રવિણભાઇ મુછડીયા, નારણભાઇ હીરપરા, તેમજ પૂર્વ કોર્પોરેટરો જયાબેન ટાંક અને આગેવાનો કિશોરસિંહ જાડેજા, જીતુભાઇ ઠાકર, મનોજભાઇ ગેડિયા, કૃષ્ણદત્તભાઇ રાવલ, સલીમભાઇ કારીયાણીયા, ઠાકરસીભાઇ ગજેરા, રામભાઇ જીલરીયા, ગોવિંદભાઇ વઘેરા, ડીબી ગોહીલ, પ્રકાશભાઇ વેપરા, કનકસિંહ, અજીતભાઇ વાંક, શાંતાબેન મકવાણા, રવિભાઇ ડાંગર, અનિરૂધ્ધ પરમાર, રોહિતભાઇ બોરીચા, પરેશભાઇ સોની, જીગ્નેશભાઇ વાગડિયા, જગાભાઇ સાગઠીયા, નરેશભાઇ પરમાર, વશરામભાઇ ચાંડપા, હીરાલાલ પરમાર, અરવિંદભાઇ મુછડીયા, સુરેશભાઇ ગરૈયા, સિકંદરભાઇ માન્સુરી, ગોપાલ મોરવાડિયા, વિરલ ભટ્ટ સહિતના આગેવાનો કાર્યકરો આ રેલીમાં જોડાયા હતા.