વીણાબેને ‘‘અકિલા'' પરિવાર સાથે જીવન વિતાવ્યુ તે સ્મૃતિરૂપે અમર રહેશેઃ પૂ. જયંતિરામબાપા
શ્રદ્ધાંજલી અર્પતા ધુનડા સત્પુરણધામના સંત
અકિલાના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રાના ધર્મપત્ની વીણાબેન ગણાત્રાનું દુઃખદ અવસાન થતા ઘેરો શોક છવાયો છે.
ત્યારે અકિલા પરિવાર સાથે આત્મીયતાથી જોડાયેલ જામજોધપુર નજીક આવેલ ધુનડા સતપુરણધામ આશ્રમના સંસ્થાપક પૂ. જેન્તિરામબાપા ગઇકાલે રાજકોટ ગણાત્રા પરિવારના નિવાસ સ્થાને પધારી સાત્વંના પાઠવી હતી અને વીણાબેનને શ્રધ્ધાંલી અર્પણ કરતા પૂ. જેન્તીરામબાપાએ જણાવ્યું હતું કે આ બધી કુદરતની લીલા છે જે સ્વીકારવું જ પડે અને આપણે વીણાબેનની પાછળ સત્કાર્યો કરીએ એમના દિવ્ય આત્માને શાંતિ મળે.અને વીણાબેનનો આત્મા ફરીઅ ાજ ગણાત્રા પરિવારમાં જન્મ લ્યે કિલ્લોલ કરે એવી શ્રધ્ધા વ્યકત કરેલ અને પુ. બાપા એ વધુમાં જણાવેલ કે શાષામાં લખ્યુ છે આત્મા મરતો નથી. વિણાબેને જે ‘‘અકિલા'' પરિવાર સાથે જીવન વિતાવ્યુ તે એમની સ્મૃતી રૂપે કાયમ સાથે જ રહેશે અને અમર રહેશે તેમ જણાવી અકિલા પરિવારના મોભી શ્રી કિરીભાઇ ગણાત્રા તથા અકિલાના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રાને સાત્વના આપી હતી. આ તકે હિતેશભાઇ શીલુ ગાંધીનગરના પત્રકાર અશ્વિનભાઇ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા)