કાલે રાજયના અન્ન આયોગના અધ્યક્ષ ભુપેન્દ્ર લાખાલાલા રાજકોટમાં: પુરવઠો-મભોયો-આંગણવાડી અંગે સમીક્ષા
રાજકોટ, તા., ૩: રાજકોટ કલેકટર કચેરી ખાતે ગુજરાત રાજય અન્ન આયોગની એક સમીતી બેઠક કાલે બપોરે ૧ર વાગ્યે યોજાશે. જેમાં ગુજરાત રાજય અન્ન આયોગના અધ્યક્ષશ્રી ભુપેન્દ્ર લાખાવાલા, સભ્ય સચિવશ્રી એમ.એ.નરમાવાલા તથા સભ્યશ્રી દિનેશભાઇ કારીયા હાજર રહેનાર છે.
રાજકોટ જીલ્લા જાહેર વિતરણ બાબતે તથા ફરીયાદો બાબતે જાહેર વિતરણ વ્યવસ્થા તથા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાનું અમલીકરણ, મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોની કામગીરી તથા આંગણવાડી કેન્દ્રો મારફતે ધાત્રી અને સગર્ભા મહિલાઓને પોષણક્ષમ આહાર આપવાની યોજનાના અમલીકરણ બાબતે સમીક્ષા તથા ચર્ચા થનાર છે.
આ બેઠકમાં કલેકટરશ્રી, જીલ્લા વિકાસ અધિકારીશ્રી તથા ઉકત બાબતો લગત જીલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ પણ લોકોની ફરીયાદ નિવારણ બાબતે હાજર રહેનાર છે.