રાજકોટ
News of Wednesday, 3rd January 2018

આર્ટ ઓફ લીવીંગ દ્વારા દિપકભાઇ તથા માલાબેન પંજાબીના સાનિધ્યમાં સહજ સમાધીનો કાર્યક્રમ

રાજકોટ તા.૩: આર્ટ ઓફ લીવીંગ રાજકોટ દ્વારા સૌરાષ્ટ્રના સીનીયર ટીચર એવા દિપકભાઇ પંજાબી તથા માલાબેન પંજાબીના સાનિધ્યમાં સહજ સમાધી ધ્યાન કાર્યક્રમ તા.૫ થી ૭ ત્રણ દિવસ સવારે ૬ થી ૮, બપોરે ૪ થી ૬ અને સાંજે ૭ થી ૯ વિવેકાનંદ હોલ, આમ્રપાલી ફાટક પાસે, સ્વસ્તિક સોસાયટી ખાતે રાખવામાં આવેલ છે.

સહજ એટલે સરળ રીતે સમાધીનો અનુભવ કરાવતો તેમજ ધ્યાનને વધુ ગહેરાઇથી સમજવા અને અનુભવ કરવા માટેનો અનેરો લાભ આ કાર્યક્રમમાં પ્રાપ્ત થાય છે. વિશેષ રૂપે આ કાર્યક્રમમાં મંત્રનું મહત્વ તેમજ મંત્રના પ્રભાવ દ્વારા મનમાં તેમજ ચેતનાના સ્તર પરના અલૌકીક અનુભવ અને પોતાની સાચી ઓળખનો અનંત અનુભવ વગેરે બાબતે માર્ગદર્શન અપાશે.

કાર્યક્રમમાં ભાગ લેવા વધુ માહિતી માટે મો.નં.૯૮૨૪૨ ૯૪૯૪૭ ઉપર સંપર્ક કવા જણાવાયુ છે.

(4:03 pm IST)