News of Wednesday, 3rd January 2018
વવાણીયામાં ખેતરમાં મનહરભાઇ પટેલનો ગળાફાંસો ખાઇ આપઘાત
રાજકોટ, તા. ૩ : માળિયાના ભાવપરના પટેલ પ્રૌઢે વવાણીયા પાસે ખેતરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ માળિયા તાલુકાના ભાવપર ગામે રહેતા મનહરભાઇ શીવાભાઇ પટેલ (ઉ.પ૪) એ ભાવપરથી વવાણીયા જવાના રસ્તે ખેતરમાં કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. બનાવની નોંધ કરી માળિયા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
(11:30 am IST)