છરી વડે હત્યાની કોશિષ કરવાના ગુનામાં: પકડાયેલ આરોપીની જામીન અરજી નામંજુર
રાજકોટ, તા.૩: છરી મારી ખૂનની કોશીશ કરવાના ગુન્હામાં આરોપીની જામીન અરજી રદ કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.
ગત તા.૪/૧૧/૨૨નાં રોજ નવાગામ રંગલા સોસાયટીમાં ફટાકડા ફોડવા બાબતે છરી મારી ખૂનની કોશીશ કરવાના ગુન્હામાં પકડાયેલા આરોપી વિનોદ ઉર્ફે વિનય ઉર્ફે ભુરો મનસુખભાઈ ડાભી રહે. ભગીરથ સોસાયટી સંતકબીર રોડવાળાએ સેસન્શ કોર્ટમાં જામીન ઉપર છુટવા જામીન અરજી કરેલ.
સરકાર તરફે સરકારી વકીલ હાજર થઈ જામીન અરજીનો વિરોધ્ધ કરતા રજૂઆત કરેલ કે આરોપીએ નજીવી બાબતે બોલા ચાલી કરી ફરીયાદીના ભાઈને છરી મારી દીધેલ છે અને આરોપી ઉપર અનેક ગુન્હા નોંધાયેલ છે. તેથી જો તેને જામીન ઉપર છોડવામાં આવશે તો ફરી આવા ગુન્હા કરશે. તે રજૂઆતને ધ્યાને લઈ સેસન્સ જજ શ્રી પ્રશાંત જૈને જામીન અરજી રદ કરેલ છે.આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા.