News of Friday, 3rd February 2023
શનિવારે ધોરાજી તાલુકા સંક્લન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે
રાજકોટ:ધોરાજી તાલુકા સંક્લન સહ ફરિયાદ સમિતિની બેઠક નાયબ કલેકટર જે.એન. લિખીયાનાં અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, ધોરાજી ખાતે તા. ૦૪ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ બપોરે ૧.૦૦ કલાકે યોજાશે. સંબંધિત સર્વે સરકારી વિભાગોના અધિકારીઓને આ બેઠકમાં સમયસર ઉપસ્થિત રહેવા ધોરાજી મામલતદાર એમ.જી.જાડેજાની યાદીમાં જણાવવામાં આવ્યું છે
(12:52 am IST)