રાજકોટ
News of Saturday, 3rd February 2018

વીવીપી કોલેજમાં સ્વચ્છતા અભિયાન

 રાજકોટ : 'સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, સક્ષમ ભારત, ઉન્નત ભારત'ની કલ્પનાને વી.વી.પી. ઇજનેરી કોલેજના એન.એસ.એસ. યુનિટે ચરિતાર્થ કરી છે. ૩૦ જાન્યુ. 'ગાંધી નિર્વાણ દિન'ને વી.વી.પી. ઇજનેરી કોલેજમાં 'સ્વચ્છતા દિવસ' તરીકે ઉજવવામાં આવ્યો. 'સ્વચ્છતા દિન' ના સફળ આયોજન માટે સંસ્થાના પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકરના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગીય વડાશ્રીઓ, પ્રાધ્યાપકો, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. અભિગમ માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆરે એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

(3:49 pm IST)