ઇન્દુબેન ધીરૂભાઇ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા
ગઢવી સમાજના છાત્રોને સ્કોલરશીપ
બોર્ડ અને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાથીઓએ ફોર્મ ભરી દેવા અનુરોધ
રાજકોટઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગઢવી સમાજનાં સૌરાષ્ટ્રના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇન્દુબેન ધીરૂભાઇ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા વર્ષ-૨૦૨૨/૨૦૨૩ ના શૈક્ષણિક વર્ષ માટે સ્કોલરશીપ અપાશે. જેમાં ધો.૧૦ તથા ધો.૧૨માં બોર્ડમાં જે વિદ્યાર્થીઓને ૮૦ પીઆર થી વધુ માકર્સ મેળવેલ હોય તેમજ હાયર એજયુકેશન (મેડિકલ, સી.એ.,એન્જિનીયરીંગ)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અરજી ફોર્મ તા. ૩ થી વિતરણ કરવામાં આવશે. જે ફોર્મ માર્કશીટની નકલ સાથે તા. ૧૦ પહેલા ઇન્દુબેન ધીરૂભાઇ ગઢવી મેમોરીયલ ટ્રસ્ટ, માધવ વાટીકા, ગોલ્ડન સુપર માર્કેટની બાજુમાં, સોજીત્રાનગર, આમ્રપાલી રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા કુરિયર દ્વારા પહોંચાડવા સંસ્થાના પ્રમુખ ચંદુભાઇ સાબા (૮૧૨૮૮૮૨૭૭૫) મેનેજીંગ ટ્રસ્ટી રામભાઇ જામંગ(૯૮૨૪૨૮૮૮૫૨)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુછે.