રાજકોટ
News of Saturday, 2nd July 2022

માંડવી ચોક દેરાસરે કાલે માણિભદ્ર દાદાનો હોમાત્‍મક હવન

પન્‍યાસપ્રવર પૂ.શ્રી સત્‍વબોધી મ.સા.ની શુભ નિશ્રા

રાજકોટ,તા. ૨ : શહેરના ૧૯૬ વર્ષ પ્રાચીન તીર્થ માંડવી ચોક દેરાસર (દાદાવાડી) ખાતે માણિભદ્ર દાદાના હોમાત્‍મક હવનનું કાલે રવિવારે સાંજે ૪ વાગ્‍યે આયોજન કરવામાં આવ્‍યુ છે. આ હવનમાં પન્‍યાસપ્રવાહ પૂ.શ્રી સત્‍વબોધી મ.સા. શુભ નિશ્રા પ્રદાન કરશે.હોમાત્‍મક હવન દરમિયાન ભકિતસંગીતની ભકિતકાર નિલેશભાઇ ટોળીયા તથા શૈલેષભાઇ વ્‍યાસ રમઝટ બોલાવશે. માણિભદ્રદાદાના હોમાત્‍મક હવનના દર્શન કરવા પધારવા સંઘ પ્રમુખ જીતુભાઇ ચા વાળા તથા ઉપપ્રમુખ પંકજભાઇ કોઠારી સહિત ટ્રસ્‍ટીઓએ ભાવિકોને આમંત્રણ પાઠવ્‍યુ છે.

 

(3:33 pm IST)