News of Saturday, 2nd July 2022
મનપાના પૂ. રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલનું આજથી બુકીંગ શરૂ
રાજકોટ તા. ૨ : શહેરના બોલબાલા માર્ગ પર, આનંદનગર ખાતે આવેલ મહાનગરપાલિકાની માલિકીના પૂ. રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલ ખાતે કોવિડ-૧૯ સંદર્ભે કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવેલ હતી. હાલ કોવિડ હોસ્પિટલ બંધ કરવામાં આવેલ હોય, પૂ. રણછોડદાસજી બાપુ કોમ્યુનીટી હોલના બંને યુનિટ નાગરિકોના પ્રસંગ માટે ઉપલબ્ધ થયેલ છે. આ કોમ્યુનીટી હોલનું ઓફલાઈન તથા ઓન-લાઈન બુકીંગ શરૂ કરી દેવામાં આવેલ છે. જેથી શહેરીજનો પોતાના પ્રસંગ માટે આ કોમ્યુનીટી હોલનું બુકીંગ આજ તા. ૨થી કરી શકશે. આ હોલ બુક કરવા માટે પ્રતિ યુનિટનું ભાડું રૂ. ૪ હજાર તથા ડીપોઝીટ રૂ. ૪ હજાર રાખવામાં આવેલ છે.
(3:30 pm IST)