વિધાનસભામાં પણ કોંગ્રેસનો સપાટો બોલાવીશું, ૧૮૨ બેઠકો જીતીશુંઃ નીતિન ભારદ્વાજ
સરપંચથી શહેર સુધી ભાજપનું શાસન, જનતાએ વિશ્વાસ રાખી મત આપ્યા
રાજકોટ,તા.૨ : પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજે જણાવેલ કે આ તો હજુ ટ્રેલર છે, આગામી ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના સુપડા સાફ કરી દેશે. તમામ ૧૮૨ બેઠકો ઉપર ભગવો લહેરાવીશું. તેઓએ કહેલ કે જનતાએ ભાજપ ઉપર વિશ્વાસ મુકી મત આપ્યા છે.
શ્રી નીતિનભાઈ ભારદ્વાજે કહ્યું કે જે રીતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી ગામડુ હોય, ખેડૂત, બહેન, ભાઈ, યુવાન કે ઉદ્યોગપતિ હોય સરકાર કોને કહેવાય કે નાનામાં નાના લોકોની ચિંતા કરી અને કામો કર્યા અને એ કામો પણ લોકો સુધી પહોંચ્યા એનું પરિણામ બતાવે છે.
આ સ્થાનિક ચૂંટણી હતી અને આ લોકોને સ્પર્શતી ચૂંટણી હતી. પરિણામએ બતાવે છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની સરકારે વિકાસના કામો પૂરા કર્યા છે.