રાજકોટ
News of Friday, 3rd February 2023

અકિલા પરિવારના વીણાબેન ગણાત્રાની વસમી વિદાય : પ્રાર્થનાસભામાં માનવ મેદની

રડી પડે છે આંખો અમારી, દરેક દિવસે ખટકશે ખોટ તમારી, માત્ર યાદગીરીના પુષ્‍પો અને વહેતા આંસુના અભિષેક કરીએ છીએ

રાજકોટ : સમયનું ચક્ર સતત ફરતું રહે છે. જન્‍મથી મૃત્‍યુ સુધીની જીવનયાત્રા દરેક માટે યાદગાર હોય છે. જેનો જન્‍મ તેનું મૃત્‍યુ નિતિ છે પણ કેટલાક મૃત્‍યુ સગા-સબંધીઓ અને સ્‍નેહજનોને હચમચાવી જતું હોય છે. અકિલાના પરિવાર અને ગણાત્રા પરિવાર આવા જ અસહ્ય કપરાકાળમાંથી પસાર થઇ રહ્યો છે. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, જલારામ જયોતના તંત્રી શ્રી સુરેશભાઈ ગણાત્રા તથા રાજુભાઈ ગણાત્રાના ભાઈ અકિલાના તંત્રી શ્રી અજિતભાઈ ગુણવંતભાઈ ગણાત્રાના ધર્મપત્‍ની શ્રીમતી વીણાબેન (ઉં.વ. ૭૦) તે શ્રીમતી મીનાબેન હરીશભાઈ ચગ, ભારતીબેન લલીતભાઈ સવજાણી, ભાવનાબેન દીપકભાઈ નાગ્રેચા અને સ્‍મિતાબેન સુનિલભાઈ રાયચુરાના ભાભી તથા અકિલાના એક્‍ઝિક્‍યુટિવ એડિટર શ્રી નિમિષ ગણાત્રાના કાકી તથા દિવ્‍યાબેન હિંમતભાઈઅઢિયા (મુંબઈ)ના મોટા બહેન તા. ૩૧ના રોજ શ્રીજીચરણ પામ્‍યા છે. તેમની પ્રાર્થનાસભા આજે સવારે રાષ્‍ટ્રીય શાળા ખાતે યોજાયેલ. જેમાં વિવિધ ક્ષેત્રના આગેવાનો અને અકિલા પરિવાર પ્રત્‍યે અપારલાગણી ધરાવતા લોકોએ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી સાંત્‍વના આપી હતી. ધારાસભ્‍યો ઉદય કાનગડ, રમેશભાઇ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, જીતુભાઇ સોમાણી, ડો. મહેન્‍દ્ર પાડલિયા, મેઘજીભાઇ ચાવડા, ભાજપના પ્રદેશ અગ્રણી નિતીન ભારદ્વાજ, પૂર્વ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા, મેયર પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડીંગ કમિટિના ચેરમેન પુષ્‍કર પટેલ, નિવાસી અધિક કલેકટર કેતનભાઇ ઠક્કર (આઇએએસ), કોંગ્રેસના અગ્રણી ડો. હેમાંગ વસાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર, વિપક્ષી નેતા અર્જુન ખાટરિયા, નિવૃત્ત અધિક કલેકટર એ.વી.વાઢેર વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(10:11 pm IST)