૧પ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી રાજસ્થાનનો હૈદરખાન ભગાડી ગયોઃ એટ્રોસીટી અને અપહરણનો ગુન્હો
કુવાડવા પોલીસે રાજસ્થાનના શખ્સને જી.આઇ.ડી.સી.ના કારખાનામાંથી દબોચ્યો
રાજકોટ તા. ર : કુવાડવા વિસ્તારમાં રહેતી ૧પ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી રાજસ્થાન ફરવા લઇ જવાના બહાને કારમાં બેસાડી અમદાવાદ મોકલી અપહરણ કરનાર રાજસ્થાન જોધપુર ચીરાઇનગરના શખ્સ સામે ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ વાંકાનેર પંથકમાં રહેતી મહિલાએ રાજકોટ કુવાડવા રોડ પોલીસ મથકમાં રાજસ્થાન જોધપુરના ચિરાઇનગરના હૈદરખાન જલાલખાન ભૈયા સામે ફરીયાદ નોંધાવી છે. મહિલાએ ફરીયાદમાં જણાવ્યું છે કે પોતાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. જેમાં સૌથી નાની દીકરી (ઉ.૧પ) હા સરકારી માધ્યમીક શાળામાં ધો.૧૦માં અભ્યાસ કરે છે. ગત તા.૩૧/૧ ના રોજ ૧પ વર્ષીની દીકરી ઘરેથી સ્કુલે જવા નીકળી હતી અને પોતે વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલા કારખાનામાં સફાઇ કામ પુર્ણ કરી સાંજે ઘરે આવતા દીકરી ધરમાં જોવા ન મળતા તેણે આસપાસ તેમજ સગા-સંબંધીને ત્યાં તપાસ કરી હતી બાદ પોતે શાળાએ તપાસ કરતા પુત્રી શાળાએ આવી ન હોવાનું જાણવા મળ્યું હતું બાદ પોતે ચોટીલામાં રહેતા દીયરને વાત કરતા તેણે જણાવેલ કે ‘હું અગાઉ કુવાડવા જી.આઇ.ડી.સી. ખાતે પુજા ટેકટાઇલ્સમાં દોઢેક વર્ષસથી કામ કર્યુ હતુ઼ ત્યારે મારી સાથે કામ કરતો હૈદરખાન જલાલખાન ભૈયા અગાઉ ફોનમાં વાત કરતો હતો' તેમ જણાવતા બાદ દીયરે પોતાના પતિના મોબાઇલ ફોનમાંથી નંબર લઇને હૈદરખાનને ફોન કરી સગીરા વિષે પુછતા તેણે ‘મને ખબર નથી' તેમ જણાવ્યું હતું. બાદ પોતે તથા દિયર બંને વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલા ટેકસટાઇલ્સના કારખાને જઇને મેનેજરને વાત કર્યા બાદ કારખાનામાં કામ કરતા હૈદરખાન ભૈયાને બોલાવી પુછપરછ કરતા તેણે સગીરા અમદાવાદમાં હોવાનું જણાવતા કારખાનાના મેનેજર અને સુપરવાઇઝર સહિત અમદાવાદ પહોંચતા ગીતામંદિર પાસેથી સગીરા હેમખેમ મળી આવી હતી. અને સગીરાને રાજકોટ લઇ આવ્યા બાદ સગીરાને પુછતા આ હૈદરખાન મને ફોન કરતો હતો તેણે પરમદિવસે પોતાને કુવાડવા જી.આઇ.ડી.સી.માં આવેલ કારખાને બોલાવી હતી બાદ હૈદરખાને કહેલ કે તને રાજસ્થાન ફરવા લઇ જઇશે અને લગ્ન કરવાની લાલચ આપી મને અમદાવાદ ગીતા મંદિર પાસે જવાનુ કહી ફોર વ્હીલ કારમાં બેસાડી દીધી હતી. બાદ હું ચોટીલા ઉતરી ત્યાંથી એસ.ટી.બસમાં અમદાવાદ પહોંચી હતી તેમ જણાવ્યું હતું. ત્યારબાદ સગીરાના માતા સહિતના પરિવારજનોએ પોલીસને જાણ કરતા કુવાડવા રોડ પોલીસે રાજસ્થાન જોધપુરના ચિરાઇનગરના હૈદરખાન જલાલખાન ભૈયાને પકડી લઇ તેના વિરૂધ્ધ એટ્રોસીટી અને અપહરણની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી એ.સી.પી.એમ.આર. શર્માએ તપાસ હાથ ધરી છે.