Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

પૂ.પારસમૂનિ મ.સા.ની નિશ્રામાં

પંતનગર વર્ધમાન સ્થા.જૈન શ્રાવક સંઘની રવિવારે રજત જયંતિ ઉજવાશે

દાતા બહુમાન, વિશેષાંક વિમોચન, અહેવાલ વાંચન, આભાર દર્શન, સ્વામી વાત્સલ્ય યોજાશે

રાજકોટ, તા.૧૮ : પંતનગર વર્ધમાન સ્થા.જૈન શ્રાવકસંઘની રવિવાર તા.૨૧ના રોજ રજત જયંતિ શ્રી સંઘના ઉપાશ્રય હોલમાં સવારે ૯:૩૦ વાગે ક્રાંતિકારી યુવાસંત પૂ.પારસમુનિ મ.સા.ની પાવન નિશ્રામાં ઉજવાશે.  કાર્યક્રમમાં દાતાઓનું બહુમાન રજતજયંતિ પ્રસંગે વિશેષાંક બુકનું વિમોચન, પ્રગતિ અહેવાલનું વાચન અને આભારદર્શન બાદ સ્વામીવાત્સલ્યનું  આયોજન  તે શ્રી પંતનગર સંઘ ઉપાશ્રયના સભ્યો દાતાઓ અને માનવંત મહેમાનો માટે કરવાામાં આવ્યું છે. પ્રમુખ સ્થાને મનસુખભાઈ પંચમીઆ રહેશે અને આભાર મહામંત્રી શ્રી વિનોદભાઈ કે.શાહ દ્વારા કરાશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી છાયાબેન પ્રવરભાઈ કોટિચા કરશે.

 

(3:01 pm IST)