Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ચુનારાવાડના મનિષ પરમારનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૮: ચુનારાવાડ-૧માં રહેતો મનિષ દાનાભાઇ પરમાર (ઉ.૨૧) નામનો યુવાન સાંજે સાડા આઠેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃતક ધુળધોવાનું કામ કરતો હતો અને ત્રણ ભાઇમાં નાનો હતો. યુવાન દિકરાના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. થોરાળા પોલીસ મથકના પીએસઆઇ જે. જી. ચોૈધરીએ એ.ડી. નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. બિમારીથી મોત થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

(3:00 pm IST)