Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

શનિવારે પદવીદાન સમારોહઃ ૪૬૬૧૭ છાત્રને ડીગ્રી અપાશે

પ૬ સુવર્ણચંદ્રક એનાયતઃ સૌથી વધુ ડો. ગૌરવ લાખાણીને પ ગોલ્ડ મેડલ અને ૧૪ રોકડ પુરસ્કાર : રાજયપાલ કોહલી અધ્યક્ષ સ્થાને ડો. એચ. આર. નાગેન્દ્ર દ્વારા દિક્ષાંત પ્રવચન અપાશેઃ તૈયારીનો ધમધમાટ

રાજકોટ તા.  ૧૮ :.. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો  બાવનમો  પદવીદાન સમારોહ યોજાયો છે. જેમાં ૧૪ વિદ્યાશાખાના ૪૬૬૧૭ છાત્રોને પદવી એનાયત થશે. શ્રેષ્ઠ ગુણ પ્રાપ્ત કરનાર પ૬ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત થશે. તા. ર૦ જાન્યુ. શનીવારના સવારે ૧૧ કલાકે કુલાધિપતિશ્રી તથા ગુજરાત રાજયના રાજયપાલ ઓ. પી. કોહલીના અધ્યક્ષ સ્થાને તથા સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થા ડીમ્ડ યુનિવર્સિટી, બેંગલોરના ચાન્સેલર ડો. એચ. આર. નાગેન્દ્રના દિક્ષાંત પ્રવચન દ્વારા ઉજવનાર છે. આ સમારંભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ફેકલટીઓના ડીનશ્રીઓ, સિન્ડીકેટ સભ્યશ્રીઓ, સેનેટ સભ્યશ્રીઓ, કોલેજના આચાર્યશ્રીઓ, ભવનના અધ્યક્ષશ્રીઓ, શૈક્ષણીક સ્ટાફ તથા બિન-શૈક્ષણીક સ્ટાફ તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિતી રહેશે.

કુલ ૪૬૬૧૭ પદવીઓ એનાયત થનાર છે. જે પૈકી વિનયન ૧૧રર૭, શિક્ષણ ૪૭૦૮, વિજ્ઞાન ૧૦૩૯૯, ઇજનેરી -૦૯, કાયદા ૧૪૧૭, તબીબી ૧૦૧૮, વાણીજય ૧૪૦૧પ, ગ્રામવિદ્યા ૩૭૦, ગ્રુહવિજ્ઞાન ૪૪૯, બિજનેશ મેનેજમેન્ટ ર૭પ૮, હોમિયોપેથી ૧૭૦, આર્કીટેકચર ૪પ, પરફોર્મિંગ આર્ટસ ૧પ તથા ફાર્મસી વિદ્યાશાખાની ૧૭ પદવીઓ વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવશે.

દાતાશ્રીઓ તરફથી આવેલ દાનના વ્યાજની રકમમાંથી કુલ પ૬ સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી સમગ્ર ફેકલ્ટીમાં પ્રથમ ક્રમાંક ઉતીર્ણ થયેલ એવા કુલ ૧ર વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવશે. ૯ર દાતાશ્રીઓ તરફથી આવેલ દાનના વ્યાજની રકમમાંથી કુલ ૧૧૪ રોકડ ઇનામો એનાયત કરવામાં આવશે.

હાજરમાં રહીને પદવી મેળવનાર કુલ ર૯રર ની  સંખ્યાથી ઓનલાઇન ફોર્મ ભરાયેલ છે.

વિશેષમાં એમ.બી.બી.એસ. અભ્યાસક્રમમાં લાખાણી ગૌરવ યોગેશભાઇને કુલ-પ, સુવર્ણચંદ્રક તથા ૧૪ રોકડ ઇનામો તથા પટેલ હેમાગીબેન પ્રવિણભાઇને પ સુવર્ણચંદ્રક તથા ૭ રોકડ ઇનામ મળશે. એમ. એસ. અભ્યાસક્રમમાં  પીલ્લાઇ મહાલક્ષ્મી મહાદેવને ૩ સુવર્ણચંદ્રક તથા ૩ રોકડ ઇનામ મળશે. એલએલ.બી. અભ્યાસક્રમમાં સોલંકી અમિતકુમાર વલ્લભદાસને ૩ સુવર્ણચંદ્ર તથા ૯ રોકડ ઇનામ મળશે. બી.એ. (સંસ્કૃત) અભ્યાસક્રમમાં ભટ્ટ હિનાબેન કિશોરભાઇને ૩ સુવર્ણચંદ્રક તથા ૧૦ રોકડ ઇનામ મળશે.

સમગ્ર સમારંભને સફળ બનાવવા માટે કુલસચિવ ડો.ધિરેનભાઇ પંડયા, પરીક્ષા નિયામક અમિતભાઇ પારેખના માર્ગદર્શન હેઠળ ટીમ વર્ક સાથે તમામ સ્ટાફ ભાઇઓ તથા બહેનો જહેમત ઉઠાવી રહેલ છે.

(12:53 pm IST)