Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ખોડીયારપરાના અસરગ્રસ્તોને સાંભળતી આમ આદમી પાર્ટીની ટીમ

રાજકોટ : ખોડીયારપરા વિસ્તારમાં તાજેતરમાં મહાનગરપાલીકાના ડીમોલીશનથી અનેક પરીવારોએ આશરો ગુમાવ્યો છે. ત્યારે આ અસરગ્રસ્ત લોકોની આમ આદમી પાર્ટીના કારોબારી અધ્યક્ષ શિવલાલ પટેલ, મહામંત્રી સંજયસિંહ વાઘેલા, સંગઠન મહામંત્રી રાહુલભાઇ ભુવા, સૌરાષ્ટ્ર ઇષ્ટ ઝોનના મહામંત્રી દીલીપસિંહ વાઘેલા, ઇસ્ટ ઝોન પ્રભારી વિપુલભાઇ તેરૈયા સહીતનાએ રૂબરૂ મુલાકાત લઇ તેમની સમસ્યાઓ સાંભળી હતી. આ બાબતે જરૂરી મદદ કરવાની ખાત્રી ઉચ્ચારી આગામી દિવસોમાં સરકારમાં રજુઆત કરવાની તૈયારી બતાવાઇ હતી. 

(3:13 pm IST)