Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

મંત્રી મુળુભાઈ બેરા અને ભાનુબેન બાબરીયાએ કોર્પોરેટર જયાબેન ડાંગરના ઘરે 'મન કી બાત' કાર્યક્રમ માણ્યો

રાજકોટઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ  'મન કી બાત' અન્વયે સમગ્ર દેશવાસીઓ સાથે પોતાના મનની વાત રજૂ કરી હતી. જેનું શ્રવણ માન. મંત્રીશ્રી મુળુભાઈ બેરા અને ધારાસભ્ય અને મંત્રીશ્રી મહિલા અને સામાજીક ન્યાય અધિકારિતા શ્રી ભાનુબેન બાબરીયાએ રાજકોટના કોર્પોરેટર શ્રી જયાબેન ડાંગરના ઘરે કાર્યક્રમ માણ્યો હતો.

આ પ્રસંગે, વોર્ડ નંબર ૧૩ના કોપોરેટર તથા શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર તથા લાઈટીંગ કમીટીના ચેરમેન જયાબેન હરીભાઈ ડાંગર, સ્ટેન્ડીંગ કમીટી સભ્ય નિતીનભાઈ રામાણી, સોનલબેન સેલારા, શહેર ભાજપના સિનિયર નેતાશ્રી હરીભાઈ ડાંગર, યુવા ભાજપ આગેવાન શૈલેષ ડાંગર, વોર્ડ પ્રમુખ કેતનભાઈ વાછાણી, મહામંત્રી ભરતભાઈ બોરીચા, હિતેશભાઈ ડાંગર, હેતલબેન ડાંગર, અનીતાબેન દુધાત્રા, નયનાબેન ગોહિલ, વર્ષાબેન ડાંગર, સરોજબેન મેતા તેમજ  મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:39 pm IST)