Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

આંબેડકરનગરમાં દુકાનેથી ઘરે જવાનું કહી નિકળેલી આરતી જેઠવા લાપતા

રાજકોટ, તા., ૩૧: ગોંડલ રોડ પર આંબેડકરનગરમાં રહેતી યુવતી ઘર પાસે દુકાનેથી ઘરે જવા નિકળ્‍યા બાદ પરત ન આવતા માલવીયાનગર પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે.

મળતી વિગત મુજબ આંબેડકર નગર શેરી નં. ૧/ર માં રહેતી આરતી ભરતભાઇ જેઠવા (ઉ.વ.ર૧) બે દિવસ પહેલા ઘર નજીક આવેલી પિતા સાથે દુકાને હતી. ત્‍યાર બાદ પિતાને ઘરે જાવ છુ તેમ કહી દુકાનેથી નિકળ્‍યા બાદ પરત ન આવતા તેના પિતા સહીતના પરીવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેના પિતાએ માલવીયાનગર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે ગુમની નોંધ કરી હેડ કોન્‍સ. આર.કે. નાથાણીએ તપાસ હાથ ધરી છે. જો કોઇને આ યુવતી જોવા મળે તો માલવીયાનગર પોલીસ સ્‍ટેશન ફોન નં. ૦૨૮૧-૨૩૮૦૦૪૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:37 pm IST)