Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

મ.ન.પા. ર૦ર૩-ર૪ માં જમીનો વેચી ૪૧૮ કરોડ ઉભા કરશે

રાજકોટઃ મનપા દ્વારા ર૦ર૩-ર૪ ના વર્ષમાં વિવિધ જમીનો વેંચી ૪૧૮ કરોડ એકત્રિત કરવાનો લક્ષ્યાંક બજેટમાં મુકાયો છે. નોંધનીય છે કે ર૦રર-ર૩ ના વર્ષમાં જમીન વેંચી ૪૧૭ કરોડ ઉભા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્‍યો હતો.  કોર્પોરેશનની મિલ્‍કત વેરાની આવક ૧૯૯૧ માં ૭ કરોડ હતી તે છેલ્લા પચીસ વર્ષમાં રપ૦ કરોડ એટલે કે ૩પ ગણી વસુલ કરવામાં સફળ રહ્યા છીએ. જો કે રાજકોટની વસ્‍તીમાં ૧૯૯૧ થી ર૦રર સુધીમાં માત્ર ૪ ગણો વધારો થયેલ છે.

(3:32 pm IST)