Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

સાયકલ યાત્રીનું રેડક્રોસ દ્વારા સ્‍વાગત

 કોલકતાથી સ્‍વૈચ્‍છિક રકતદાન માટેની ઝુંબેશનો સંદેશ લઇને સંપૂર્ણ ભારત ભ્રમણ માટે નિકળેલ સાયકલીસ્‍ટ જયદેવ રાઉત રાજકોટ આવતા ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન ડો. એ.આર. ભપલ દ્વારા સ્‍વાગત કરવામાં આવેલ. જયદેવ રાઉતે જણાવેલ કે દરેક ઘરમાં એક નિયમિત રકતદાતા હોવો જોઇએ જેથી કયારેય કોઇ દર્દી રકતની અછતના કારણે મૃત્‍યુ ન પામે. તેઓનું સુત્ર ‘‘હર ઘર રકતદાતા''છે. તેઓની સાયકલ યાત્રા ૭૦૦૦ હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડી ચુકી છે અને હજુ ૧૮૦૦૦ કિલોમીટર બાકી છે કુલ રપ૦૦૦ કિલોમીટરનો પ્રવાસ છે.

(3:20 pm IST)