Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

ગુરૂનાનક જયંતિ : ગુરૂદ્વારા સહીતના ધર્મસ્થાનો પર સિમિત સંખ્યામાં પૂજા પાઠ : સાંજે ઘરે ઘરે દીપ પ્રાગટયની અપીલ

રાજકોટ : શીખ અને સિંધી  સમાજના પ્રથમ ધર્મગુરૂ શ્રીગુરૂનાનક દેવની  આજે  જન્મજયંતી  હોય ઠેર-ઠેર ધર્મમય કાર્યક્રમોનું  આયોજન થયું છે. આમ તો વર્ષો વર્ષ દાંડીયારાસ, નાચગાન, આતશબાજી, કેક કાપીને શ્રી ગુરૂનાનક જન્મોત્સવ ઉજવવામાં આવતો. ઠેર-ઠેર સત્સંગ, ભજન, કણાપ્રસાદ વિતરણ, રકતદાન કેમ્પ સહિતના કાર્યક્રમોના આયોજનો કરવામાં આવતા. પરંતુ હાલ કોરોના સંક્રમણની પરિસ્થિતી ધ્યાને લઇ સીમીત આયોજનો કરવામાં આવ્યા છે. લોકોએ ઘરે ઘરે દિપપ્રાગટય કરી ગુરૂનાનકની ભકિત કરવા અપીલો થઇ છે. શહેરમાંસદર,  પરસાણા નગર, રામનાથપરા,  જંકશન પ્લોટ  સહિતના વિસ્તારોમાં  નાનકદેવજીનાં  જન્મોત્સવની આજે સાદગીભેર ઉજવણી કરાઇ રહી છે. દરમિયાન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા પણ ગુરૂનાનક જન્મ જયંતિ નિમિતે દીપાંજલીનું આયોજન થયુ છે. રાજકોટમાં આવેલ ગુરૂદ્વારા સહીતના ધર્મસ્થાનો પર લોકોની સીમીત હાજરીમાં પુજા, પાઠ કરવામાં આવેલ. તે સમયની વિવિધ તસ્વીરો નજરે પડે છે. ૧૬.૫) (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:38 pm IST)