Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

રાજકોટ ભાજપ કાર્યાલય સાથે કેશુભાઇના સંસ્મરણો

રાજકોટ : શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના સંસ્મરણો તાજા કરી શોકાંજલી પાઠવી છે. તેઓએ જણાવ્યુ છે કે આજીવન ખેડુત નેતા બની રહેલ કેશુભાઇ જનમાનસના સ્મૃતિપટ પર કાયમ રહેશે. રાજકોટ ભાજપ કાર્યાલય સાથે પણ કેશુભાઇનો નાતો રહ્યો છે. તેઓ જયારે રાજકોટ આવતા ત્યારે મનપસંદ ફાફડા-જલેબીનો નાસ્તો સમગ્ર કાર્યાલય પરિવાર સાથે લેતા. આવી યાદગીરીરૂપ બની રહેલ ઉપરોકત તસ્વીરોમાં શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પ્રતાપભાઇ કોટક, ધનસુખભાઇ ભંડેરી, નીતિનભાઇ ભારદ્વાજ, વર્તમાન શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને તત્કાલીન કાર્યાલય મંત્રી અને હાલ શહેર ભાજપ કાર્યાલય મંત્રી અનિલભાઇ પારેખ તેમજ કાર્યાલય પરિવારના સભ્યો દ્રષ્ટીગોચર થાય છે.

(2:48 pm IST)