Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

બેડીનાકા સ્‍થિત આશાપુરા માતાજીના સ્‍થાનકે સોમવારે હવન

હાટકેશ્વર ચોક ગરબી મંડળની બાળાઓ રાસગરબાની રમઝટ બોલાવશેઃ ભાવિકોને આમંત્રણ

રાજકોટઃ શહેરના બેડીનાકા અંદર હાટકેશ્વરચોકના પટાંગણમાં બીરાજતા માંઆશાપુરા માતાજીના સ્‍થાનકે સોમવારે માતાજીના હવનયજ્ઞનું આયોજન રાખેલ છે. માતાજીના મંદિરે માતાજીની ધજા નાના દરબાર ગઢવારા નરેન્‍દ્રસિંહ જે.જાડેજા(ફોરેસ્‍ટ કંટ્રોલરૂમ) ચડાવશે. હવનમાં દિવ્‍યરાજસિંહ કે. પરમાર આશાબા પરમાર બેસશે. સાંજે ૪ વાગ્‍યે માંના મંદિરે બીડું મહાવીસિંહ એન.જાડેજા, શીવરાજસિંહ જાડેજા, ધર્મવીરસિંહ જાડેજા, ચંદ્રદિપસિંહ જાડેજાના હસ્‍તે બીડુ હોમાશે. રાત્રે હાટકેશ્વરચોક ગરબી મંડળની બાળાઓ રાસ ગરબાની રમઝટ બોલાવશે. રાસ ગરબાનું સમાપન ભાગ્‍યશ્રીબા જયદીપસિંહ ચુડાસમા સંભાળશે. આ આયોજનને સફળ બનાવવા નરેન્‍દ્રસિંહ જે.જાડેજા, મહાવીરસિંહ જાડેજા, શીવરાજ સિંહ જાડેજા, ક્રિપાલસિંહ પરમાર, જયદીપસિંહ ચુડાસમા, પંકજ દેશાઇ સુસાનભાઇ (ખજુરભાઇ)મહીપાલસિંહ ચુડાસમાં, જીજ્ઞેશ રાડીયા (પંકજપાન), ધર્મવીરસિંહ જાડેજા, ઉષાબા જાડેજા, આરતીબા ઝાલા , ધર્મદેવસિંહ ઝાલા વિ.જહેમત ઉઠાવી રહ્યા છે. માતાજીના હવન દર્શન કરવા માટે સર્વેને નિમંત્રણ અપાયું છે. વધુ વિગતો માટે મો.૭૫૬૭૪ ૩૦૧૭૯ ઉપર સંપર્ક કરી શકાય છે.

(4:13 pm IST)