Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

જશાપરમાં પ્રાણભાઇ વેકરીવાળાનું સન્‍માન

રાજકોટ : જશાપર સ્‍થાનકવાસી જૈન સંઘના આંગણે પૂ. શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં જૈન રામાયણ સત્‍સંગમાં રાત્રે ૮ થી ૯ કલાકે ભાવિકો બહોળી સંખ્‍યામાં લાભ લઇ રહેલ છે. મુંબઇમાં વર્ષોથી સેવારત અને જૈન કોન્‍ફરન્‍સ મહાસંઘ, જીવદયા મંડળી વગેરેમાં સેવા આપનાર ૯૪ વર્ષના પ્રાણભાઇ રામજી વેકરીવાળા આજે પણ કાંદાવાડી સંઘ વગેરેમાં કાર્યરત છે પ્રાણભાઇ શેઠ અને મુંબઇના ૧૩૦ વર્ષ જુના અને આદ્ય ધર્મ સ્‍થાનક શેઠ દામજી લક્ષ્મીચંદ ધર્મ સ્‍થાનક-ચીંચપોકલીના મંત્રી ભરતભાઇ અમુલખ વિરાણીનું સન્‍માન મયુરભાઇ જાંબુડીયાના હસ્‍તે કરાયું હતું. સેવા સંકુલમાં ચંદ્રવદન દેસાઇ પ્રેરિત ડો. સી.જે.દેસાઇ અને જશવંતીબેન દેસાઇ વાટિકાનું  નિર્માણ પૂર્ણ થયેલ છે.

(3:41 pm IST)