Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પીએચડીના ૫૦ છાત્રોને સ્કોલરશીપ ફાળવવા રૂપાણીની દરખાસ્ત

ફાયનાન્સ કમીટીમાં પ્રસ્તાવ : સોમવારે દરખાસ્ત ઉપર નિર્ણય થશે

રાજકોટ, તા. ૩૦ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાયનાન્સ કમીટીની આજે બેઠક મળી હતી. જેમાં વધુ પડતી ચર્ચાને કારણે ફાયનાન્સ બેઠક અધૂરી રહી છે. જે હવે ટૂંક સમયમાં મળશે.

સીન્ડીકેટ સભ્ય ડો.મેહુલ રૂ.પાણીએ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી કરતા ૫૦ છાત્રોને દર મહિને ૧૦ થી ૧૫ હજારની સ્કોલરશીપ ફાળવવા દરખાસ્ત કરી છે. આ યોજના પાછળ ૭૫ લાખનું વાર્ષિક બજેટ ફાળવવા માંગ કરી છે. 

(4:03 pm IST)