Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિરે વિજયભાઇના જન્મદિવસ નિમિતે મહાપુજા, રકતદાન કેમ્પ, વૃક્ષારોપણ વિશિષ્ટ અભિવાદન સમારોહ

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ,તા.૩૦: શ્રી લક્ષ્મીનારાયણ દેવ - દેશ ( વડતાલ - ગઢડા - જુનાગઢ ) દ્વારા રાજકોટ ભુપેન્દ્ર રોડ શ્રી સ્વામિનારાયણ મંદિરને આંગણે રાજયના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ૬૫ માં જન્મદિન નિમિત્ત્।ે મહાપૂજા , રકતદાનકેમ્પ ,વૃક્ષારોપણ સાથે વિશિષ્ટ અભિવાદન સમારોહનું તા.૨-૮-૨૦૨૧ , સોમવારે સાંજે ૪ થી ૭ ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે આ પ્રસંગે પ.પૂ.દેવપ્રકાશદાસજી સ્વામી(ચેરમેન શ્રી વડતાલ) ,પ.પૂ. હરિજીવનસ્વામી (ચેરમેન ગઢપુર), પ.પૂ.સદ્દ.શા.શ્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી(પ્રમુખ શ્રી સ.મ.સભા), પ.પૂ.સદ્દ.શ્રી.દેવકૃષ્ણદાસજી સ્વામી( મહંત શ્રી ગુરૂકુળ ) ,પ.પૂ.સદ્દ.શ્રી. દેવાનંદનદાસજી સ્વામી ( ચેરમેન શ્રી જૂનાગઢ,પ.પૂ.સદ્દ. શ્રી.માધવપ્રિયદાસજી સ્વામી (SGVP ગુરૂકુળ ),પ.પૂ.શ્રી વિવેકસાગર સ્વામી બાલાજી મંદિર રાજકોટ સહિતનાં સંતો ઉપસ્થિત રહેશે , તથા આ કાર્યક્રમ નું સંચાલન વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શ્રી સંત વલ્લભદાસજી કરશે તેમજ ચેતનભાઈ રામાણી વ્યવસ્થા સાંભળશે તેમ રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂ. રાધારમણદાસજીની યાદીમાં જણાવાયું છે.

(12:06 pm IST)