Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

કોંગ્રેસ દ્વારા ગેબનશાહ પીર દરગાહે ઈફતારી

રાજકોટઃ શહેર કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્‍ટના ચેરમેન યુનુશભાઈ જુણેજા દ્વારા હજરત ગેબનશાહપીર દરગાહ શરીફે ઈફતારી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, મહામંત્રી અશોક ડાંગર, દિનેશભાઈ મકવાણા, ભરતભાઈ મકવાણા, દિપ્‍તીબેન સોલંકી, વોર્ડ પ્રમુખ ગીરીશભાઈ ઘરસંડિયા, પૂર્વ કોર્પોરેટર અતુલભાઈ રાજાણી, દિલીપભાઈ આશવાણી, પ્રવીણભાઈ સોરાણી તેમજ ફ્રન્‍ટલસેલ મનીષાબા વાળા, મુકેશભાઈ પરમાર, અશોકસિંહ વાઘેલા, ભાવેશ પટેલ, રાજુભાઈ આમરણીયા, હરિભાઈ રાઠોડ, સુરેશભાઈ મકવાણા, અલ્‍તાફભાઈ, ઈબ્રાહીમભાઈ સોરા, હીરાભાઈ ચાવડા, કમરૂભાઈ ભાયાણી, ગજેન્‍દ્રસિંહ ઝાલા, મહેશ પાસવાન, ઈન્‍દુભા રાઓલ કોંગ્રેસ કાર્યાલય મંત્રી ગોપાલ મોરવાડિયા, વિરલ ભટ્ટ સહિતના હિન્‍દુ, મુસ્‍લિમ, શીખ, ઈસાઈ ભાઈઓ - બહેનો ઉપસ્‍થિત રહયા હતા

 

(10:55 am IST)