Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

યુથ ફોર ડેમોક્રસી અને ભારત સેવક સમાજ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન

રાજકોટ તા. ર૯: ''યુથ ફોર ડેમોક્રેસી'' અને ''ભારત સેવક સમાજ''ના સંયુકત ઉપક્રમે મતદાર જાગૃતિ અભિયાન રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ અર્જુનભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ.

યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ એડવોકેટ હિંમતભાઇ લાબડીયા સમાજ સેવા સંગઠક યશવંતભાઇ જનાણી, ભારત સેવક સમાજના જનાર્દનભાઇ પંડયા, સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના રાજશભાઇ ગોંડલીયા, વેપારી મંડળના પ્રમુખ મહેશભાઇ મહેતા વગેરેએ મતદાર જાગૃતિ અભિયાનને સમયોચિત ગણાવી સંપૂર્ણ સાથ સહકાર આપવાની ખાતરી આપી વધુ મતદાન થાય તે માટે બનતા પ્રયત્નો કરવા જણાવેલ.

રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ એડવોકેટ અર્જુનભાઇ પટેલે પણ વધુમાં વધુ જાગૃતિ દાખવી લોકશાહીને સુદ્રઢ બનાવવા મતદારો અને દેશવાસીઓને હાર્દિક અપીલ કરી હતી. ''ભારત સેવક સમાજ''ના જનાર્દનભાઇ પંડયાએ અંતમાં આભાર દર્શન પ્રવચન કરેલ. વધુમાં વધુ મતદાન જ લોકશાહીને મજબુત અને સુદ્રઢ બનાવી શકશે.

આજના મતદાર જાગૃતિ અભિયાનમાં પરેશભાઇ પંડયા, કૌશિકભાઇ છાયા, આર. વી. સોલંકી, જીતુભાઇ લખતરીયા, લોકસંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, ડો. શાંતિભાઇ વિરડીયા, અશોકભાઇ પટેલ, પરેશભાઇ જનાણી, બળવંતભાઇ ચૌહાણ, હર્ષદભાઇ જોષી, રજનીભાઇ ત્રિવેદી, ધર્મેન્દ્રભાઇ ગઢવી, સુભાષભાઇ રાજાણી વગેરેએ સક્રિય ભાગ લઇ વધુમાં વધુ મતદાન દ્વારા લોકશાહીને મજબુત બનાવવા સંકલ્પ કર્યો હતો.

(3:39 pm IST)