Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

જલારામ સોસાયટીમાં બીમારીથી કંટાળી સુરેશભાઇનો એસીડ પી આપઘાત

રાજકોટ તા. ર૯ :.. દોઢ સોફુટ રોડ પર જલારામ સોસાયટીમાં રહેતા આઘેડે બીમારીથી કંટાળી એસીડ પી આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ જલારામ સોસાયટી શેરી નં. ૩ માં રહેતા સુરેશભાઇ બેચરભાઇ પીપળીયા (ઉ.વ.પ૦) ગત તા. રપ ના રોજ પોતાના ઘરે બીમારીથી કંટાળી એસીડ પી લેતા તેને સારવાર માટે સીવીલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા ત્‍યાં તેનું આજે સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. આ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:17 pm IST)