Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ચાણકય વિદ્યામંદિર દ્વારા વન-ડે રાસોત્‍સવ

 કરણસિંહજી મેઇન રોડ ખાતે આવેલ ચાણકય વિદ્યામંદિર દ્વારા વેલકમ નવરાત્રી મહોત્‍સવનું આયોજન કરેલ હતું. હજારોની સંખ્‍યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં. માં અંબાના આગમનને સુરો અને તાલ સાથે વધાવ્‍યાં હતાં. અભિષેકભાઇ એ ડીજે ના સૂર રેલાવી સૌને ઝોમ ચડાવ્‍યું હતું. ફનવર્લ્‍ડના પદાધિકારી જયદેવસિંહ જાડેજા, પ્રદિપસિંહ ઝાલા, હિતેન્‍દ્રસિંહ જાડેજા અને બળભદ્રસિંહ તેમજ ફનવર્લ્‍ડના તમામ સ્‍ટાફે સુંદર વ્‍યવસ્‍થા ગોઠવી આપી હતી. રાસોત્‍સવ માટે શાળાના સંચાલક પ્રવીણભાઇ રૂપાણી, નિલેશભાઇ દેસાલઇ તેમજ ઓજસભાઇ ખોખાણીના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્યશ્રી રશ્‍મિબેન બગથરિયા (પ્રાથમિક), હર્ષિદાબેન આરદેશણા (માધ્‍યમિક) અને સર્વે સ્‍ટાફગણે જહેમત ઉઠાવી હતી.

(3:21 pm IST)