Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

કુવાડવાના રફાળા ગામ પાસે ફોરેસ્‍ટનીજગ્‍યામાં બાવળમાં લટકી યુવાનનો આપઘાત

મહેશ દુધરેજીયાના આપઘાત પાછળનું કારણ જાણવા કુવાડવા પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ર૯: કુવાડવાના રફાળા ગામ પાસે ફોરેસ્‍ટની જમીનમાં બાવળના ઝાડ સાથે લટકી યુવાને આપઘાત કરી લીધો હતો.

મળતી વિગત મુજબ રફાળા ગામ પાસે ફોરેસ્‍ટની જમીનમાં આવેલ બાવળના ઝાડમાં જામગઢ ગામના મહેશ ગણેશભાઇ દુધરેજીયા (ઉ.વ. ર૩) એ ગળાફાંસો ખાઇ લીધો હતો. કોઇએ જાણ કરતા કુવાડવા પોલીસ મથકના એ.એસ.આઇ. પી. આર. મકવાણા તથા રાઇટર રોહીતદાનભાઇ ગઢવીએ સ્‍થળ પર પહોંચી યુવાને કરેલા આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(4:12 pm IST)