Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

રવિવારે દિનકર જોશીના ર૦ પુસ્‍તકોનું વિમોચન

પૂ. રમેશભાઇ ઓઝા, ભાણદેવજીના સાનિધ્‍યમાં કાર્યક્રમઃ: દિનકરભાઇ ખુદ ઉપસ્‍થિત રહેશેઃ પ્રમુખ સ્‍વામિ ઓડિટોરિયમમાં સાહિત્‍યરસ વરસશે

રાજકોટ તા. ર૯ : રવિવારે રાજકોટમાં સાહિત્‍યરસ વરસશે. ગુજરાતી સાહિત્‍યમાં મહત્‍વપૂર્ણ પ્રદાન કરનાર પ્રતિષ્‍ઠિત લેખક દિનકર જોશીના ર૦ પુસ્‍તકોના વિમોચનનો ભવ્‍ય કાર્યક્રમ આયોજિત થયો છ.ે

પ્રતિષ્‍ઠિત સંસ્‍થા પ્રવીણ પ્રકાશનના ગોપાલભાઇ માકડિયા તથા પ્રવીણભાઇ માકડિયાએ સાહિત્‍ય રસિકોને નિમંત્રણ આપ્‍યું છે ર૦ પુસ્‍તકોનો વિમોચન સમારોહ તા.૩ના રવિવારે સાંજે ૪ વાગ્‍યે પ્રમુખ સ્‍વામી ઓડિટોરિયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે આયોજિત થયો છે.

પુસ્‍તકોનું વિમોચન ભાગવતાચાર્ય પૂ.રમેશભાઇ ઓઝા કરશે અને આશીર્વચન આપશે. આ પ્રસંગે અતિથિ વિશેષપદે ભારતીય સંસ્‍કૃતિના ઉંડા અભ્‍યાસુ અને અધ્‍યાત્‍મમાર્ગના યાત્રી શ્રી ભાણદેવજી ઉપસ્‍થિત રહેશે.

પુસ્‍તકોના લેખક દિનકરભાઇ જોશી ખુદ કાર્યક્રમમમાં ઉપસ્‍થિત રહીને પ્રતિભાવ આપશે. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્‍થિતિ પૂનાના મરાઠી પ્રકાશક મહેતા પબ્‍લિસિંગ હાઉસવાળા અખિલભાઇ મહેતાજી રહેશે.

દિનકરભાઇ જોશીના વિમોચન થનારા ર૦ પુસ્‍તકોમાં ૧૧ પુસ્‍તકો ગુજરાતી ભાષાના છે અને ૯ પુસ્‍તકો મરાઠી ભાષાના છે.

(3:54 pm IST)