Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

નવાગામ વિસ્‍તારની ૧૭ વર્ષની સગીરાને વનરાજ વેજીયા ભગાડી ગયો : અપહરણનો ગુનો

સગીરાની માતાએ કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ,તા. ૨૯ : નવાગામ વિસ્‍તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી નવાગામમાં રહેતો શખ્‍સ ભગાડી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ નવાગામ વિસ્‍તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા ગઇ કાલે પોતાના ઘરેથી નિકળ્‍યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી તપાસ દરમ્‍યાન સગીરાને નવાગામમાં જ રહેતો વનરાજ શાંતિલાલ ઉર્ફે મુન્નાભાઇ વેજીયા સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી બાઇક પર ભગાડી ગયો હોવાની ખબર પડતા સગીરાની માતાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે વનરાજ વેજીયા સામે અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી પીઆઇ  જે.આર.દેસાઇ તથા રાઇટર પ્રવિણભાઇ મકવાણા અને અજીતભાઇ લોખીલે તપાસ હાથ ધરી છે.

(4:11 pm IST)