Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

૩ ફેબ્રુઆરીએ રાજકોટથી વીરપુર પદયાત્રાઃ ભાવિકોમાં અનેરો ઉત્સાહ

રાજકોટ,તા.૧૯: આગામી તા.૩ ફેબ્રુઆરીના શનિવાર સાંજથી રાજકોટથી વીરપુરની પાવનકારી મંગલમય પદયાત્રાનું આયોજન રઘુવીર યુવા સેના રાજકોટ શહેર દ્વારા કરવામાં આવેલ છે. સંસ્થા દ્વારા પૂ.જલારામબાપાની ૧૩૭મી પૂણ્યતિથી નિમીતે આ ૧૮મી પદયાત્રા યોજાઈ રહી છે. ૫૫ કિ.મી.ના હાઈવે રૂટ ઉપર પદયાત્રી ભકતજનો માટે સંસ્થા દાતાઓના સહયોગથી તમામ પ્રકારની સુવિધાઓ વધારેમાં વધારે સેવા- પરબો દ્વારા ગોઠવાય તે માટે સતત પ્રયત્નો થઈ રહયા છે. આ યાત્રામાં સેવા આપવા ઈચ્છતા સ્વયંમ સેવકો સંસ્થાઓ દાતાઓ સંસ્થા કાર્યાલયે પ્રમુખ શ્રી હરેશભાઈ લાખાણીનો સંપર્ક સાધી શકે છે. યાત્રા દરમ્યાન કોઈજ ખલેલ ન થાય તે માટે પોલીસ ડીપાર્ટમેન્ટનો સહયોગ મળેલ છે.

પદયાત્રી ભકતજનોએ ઘી-કાંટા રોડ ખાતે સંસ્થા કાર્યાલયે નામ રજીસ્ટેશન કરાવી પદયાત્રી ઓળખ કાર્ડ દિવસના ૩ થી ૬ કલાક દરમ્યાન મેળવી લેવા પ્રમુખ હરેશભાઈ લાખાણીની યાદીમાં જણાવવામાં આવેલ છે.

(3:28 pm IST)