Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

સામાકાંઠે રાત્રે લોકડાયરાની રમઝટ

કોર્પોરેશન દ્વારા આયોજન : સુખદેવભાઇ ધામેલીયા, અલ્પાબેન પટેલ સહિતના કલાકારોની ઉપસ્થિતિ : શહેરીજનોને ઉમટી પડવા પુષ્કર પટેલ, જયમીન ઠાકરનો અનુરોધ

રાજકોટ તા.૧૯ : પ્રજાસતાક પર્વની ઉજવણીના ભાગરૂપે રાજકોટ કોર્પોરેશન દ્વારા આજે તા.૧૯ના રોજ રાત્રે ૦૮:૩૦ કલાકે કનકનગર બગીચા પાસે, સંતકબીર રોડ, ખાતે ગુજરાતના ખ્યાતનામ કલાકાર સુખદેવભાઈ ધામેલીયા તેમજ અલ્પાબેન પટેલ દ્વારા ભવ્ય લોકડાયરો યોજાશે. જેનું દિપ પ્રાગ્ટ્ય ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીના હસ્તે થશે. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મેયર ડો. જૈમન ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે.

 

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, મહામંત્રી કિશોરભાઈ રાઠોડ,  ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠિયા, શાસક પક્ષ દંડક રાજુભાઈ અઘેરા તેમજ અતિથિવિશેષ તરીકે વોર્ડ નં.૬ ના કોર્પોરેટર મુકેશભાઈ રાદડીયા, દલસુખભાઈ જાગાણી, સજુબેન કળોતરા, દેવુબેન એમ.જાદવ, પ્રભારી પરેશભાઈ પીપળીયા, પ્રમુખ ઘનશ્યામભાઈ ફૂંગશિયા, મહામંત્રી દુષ્યંતભાઈ સંપટ, જગાભાઈ રબારી, મહિલામોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, લઘમતી મોરચાના મહામંત્રી યાકુબભાઇ પઠાણ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય ભાવેશભાઈ દેથરીયા, સંજયભાઈ હિરાણી, N.T/D.N.T બોર્ડ નિગમના વાઈસ ચેરમેન નટુભાઈ મકવાણા, ભોજલરામ સોસાયટીના ઉપપ્રમુખ કરશનભાઈ ગઢીયા, અગ્રણી ઉદ્યોગપતિ વી.એમ. પટેલ, દિનેશભાઈ ગધાતારા, આહીર સમાજ અગ્રણી જશુભાઈ રાઠોડ, પ્રજાપતિ સમાજ અગ્રણી જેન્તીભાઈ ચડોતરા, પ્રમુખ નરેશભાઈ પાટડિયા, ઉપપ્રમુખ હરગોવિંદભાઈ જાગાણી, ભૂવાજી રત્નાભાઈ રબારી, કોળી સમાજ અગ્રણી બી.ડી.તલસાણીયા વિગેરે ઉપસ્થિત રહેશે.

 

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીન ઠાકરના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય લોકડાયરાને માણવા શહેરીજનોને ઉમટી પડવા અનુરોધ કર્યો છે.(૨૩.૬)

(4:02 pm IST)