Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ગુરૂવારે પવનપુત્ર ચોકમાં શહીદ શ્રધ્ધાંજલી સમારોહ

યે દેશ હૈ વીર જવાનો કા અલબેલો કા મસ્તાનો કા ઈસ દેશ કા યારો કયા કહેના... : એકતા સમાજ સેવા દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ આયોજનઃ શહીદોને યાદ કરી તેમના પરિવારોનું બહુમાન કરાશેઃ રકતદાન કેમ્પ અને રાત્રે ભવ્ય લોકડાયરો

રાજકોટ, તા. ૧૯ :. આગામી તા. ૨૫મી જાન્યુઆરીના 'એકતા સેવા સમાજ' દ્વારા 'એક રાત શહીદો કે નામ' કાર્યક્રમમાં શહીદોને શ્રધ્ધાંજલિ અર્પી તથા તેમના પરિવારજનોનું બહુમાન કરાશે.

સંસ્કૃતિને ઉજાગર કરવા તથા શહીદોને લોકો દ્વારા બહુમાન મળે તેવા હેતુથી ૨૫મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ શહીદોને યાદ કરવા તથા તેમની બહાદુરીનું સંસ્મરણ કરી તેમના પરિવારનું માનભેર સન્માન કરાશે. એકસ સીવીલ સર્વિસીસ મેન કે જેમણે દેશ માટે કંઈક કરી છુટવાની ભાવનાથી સીવીલ સર્વિસમાં જોડાય અને આપણા દેશનું અને તેની સંસ્કૃતિનું જતન કર્યુ છે અને રક્ષણ કર્યુ છે ત્યારે આવા શહીદવીરો તથા તેમના પરીવારો, પૂર્વ સૈનિકો તથા તેમના પરિવારો એક પરીવારમય વાતાવરણ બની રહે તે માટે એકતા સેવા સમાજ દ્વારા હામ ભરવામાં આવી છે.

તા. ૨૫ના સાંજે ૬ થી ૧૦ કલાકે બ્લડ ડોનેશન કેમ્પ તથા રાત્રે ૯ કલાકે ભવ્ય લોકડાયરો રાખેલ છે. લોકડાયરાનું સ્ટેજ ખીમજીભાઈ ભરવાડ (ભજનીક), દાનાભાઈ ભરવાડ (ભજનીક), લાભુબેન ઝાપડીયા (ભજનીક), બલરાજભાઈ ગઢવી (સાહિત્યકાર), ચંદ્રેશભાઈ ગઢવી (સાહિત્યકાર) તથા સાજીંદા ટીમ સંભાળી દેશદાઝ વ્યકત કરશે.

કાર્યક્રમમાં તમામ ધર્મપ્રેમી દેશપ્રેમી જનતાને પધારવા જાહેર આમંત્રણ પાઠવાયુ છે.

કાર્યક્રમની વિગતો વર્ણવતા સંજય ગજેરા (મો. ૯૮૨૫૯ ૦૫૪૪૧), નયન રંગાણી, વિપુલ પોકળ, રામભાઈ ડાભી, પવન સુતરીયા, જીજ્ઞેશ રામાવત તથા પૂર્વ મેયર શ્રીમતિ રક્ષાબેન બોળીયા (મો. ૭૦૬૯૮ ૨૫૮૭૫), ચેરમેન હાઉસીંગ કમિટિ શ્રીમતિ કિરણબેન રાજુભાઈ સોરઠીયા, શ્રી ખોડલધામ સમિતિ વોર્ડ નં. ૧૮, લતાબેન પટેલ, કરણ સોરઠીયા, રજનીબેન પોકળ, અશોક પોકળ, બ્રીજેશ સખીયા, કેપ્ટન ડી.કે. શર્મા (રીટાયર્ડ નેવી), ભરતભાઈ ભીંડી (રીટાયર્ડ નેવી) નજરે પડે છે.

(3:15 pm IST)