Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

એબીવીપીના પ્રદેશ અધ્યક્ષપદે ડો.રવિસિંહ ઝાલા- પ્રદેશ મંત્રીપદે નિખિલ મેઠીયાની નિયુકિત

૧૯મીથી રાજકોટમાં યોજાનાર ૪૯માં પ્રદેશ અધિવેશનમાં પદગ્રહણ કરશે

રાજકોટ,તા.૧૭ : વર્ષ ૨૦૧૮-૧૯ માટે ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ તરીકે ડો.રવિસિંહ બાલુભાઈ ઝાલાની (મો.૯૦૯૯૯ ૩૯૪૭૭)ની ઘોષણા કરવામાં આવી જેઓ મૂળ ગામ ખાપટ,તા. ઉના, જિ.ગીર સોમનાથના વતની છે. ૧૯૯૧થી વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારી સાથે જોડાયેલા હતા અને વર્ષ ૨૦૦૦થી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં છે. વેરાવળ નગર અધ્યક્ષ, રાજકોટ મહાનગર અધ્યક્ષ અને પ્રદેશ ઉપાધ્યક્ષ જેવી વિવિધ જવાબદારીનું વહન કરેલ છે. તેઓએ એમ.એ., પી.એચ.ડી. સુધીનો અભ્યાસ કરેલ છે. ૩૬જેટલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસોધન પત્રો રજુ કરેલ છે અને પુસ્તકો પણ લખેલ છે તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેમિનારોનું આયોજન કરેલ છે. તેઓ વેરાવળ ખાતે સોમનાથ કોલેજમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે કાર્યરત હતા અને ૨૦૦૨થી અંગ્રેજી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે ફરજ બજાવી રહ્યા છે.

જયારે ગુજરાત પ્રદેશના પ્રદેશ મંત્રી તરીકે નિખિલ જયેન્દ્રભાઈ મેઠીયા (મો.૯૦૩૩૩ ૭૬૭૨૩)ની ઘોષણા કરવામાં આવી. તેઓ મૂળ જૂનાગઢના વતની છે. ૨૦૧૧થી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં છે. પૂર્વમાં નગર મંત્રી, જિલ્લા સંયોજક, પ્રદેશ ટીએસવીપી સંયોજક, પ્રદેશ સહ મંત્રી, રાષ્ટ્રીય કારોબારી સદસ્ય જેવી વિવિધ જવાબદારીનું વહન કરેલ છે. અભ્યાસ બી.ઈ. સિવિલ એન્જીનીયરીંગ સુધીનો છે અને હાલમાં ડ્રોન એપ્લીકેશન પર સંસોધન કરી રહ્યા છે.

આ ઘોષણા  અ.ભા.વિ.પ.ના પ્રદેશ કાર્યાલયેથી ચૂંટણી અધિકારી ડો.છગનભાઈ પટેલ (રાષ્ટ્ર ઉપાધ્યક્ષ) દ્વારા કરવામાં આવી. આ બન્ને પદાધિકારીઓ ૧૯ થી ૨૧ જાન્યુ.ના રોજ રાજકોટમાં યોજાવા જઈ રહેલા ૪૯માં પ્રદેશ અધિવેશનમાં પદભાર ગ્રહણ કરશે. તેમ યાદીમાં જણાવાયું છે.(૩૦.૮)

(4:24 pm IST)