Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

પ્રયાસ ખાતે દિવ્‍યાંગો માટે ૯ દિવસનો રાસોત્‍સવ મેયર-મ્‍યુ. કમિશ્‍નર-ધારાસભ્‍યો પણ રાસે રમ્‍યા

રાજકોટ : પ્રયાસ પેરેન્‍ટસ એસોસિએશન ખાતે નવરાત્રીના દિવ્‍યાંગ રાસોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. અમારા દિવ્‍યાંગ ભાઈ - બહેનો તેમનાં માતા - પિતા જાહેર ગરબામાં ભાગ લઈ શકતા નથી. કયાંક ને કયાંક મર્યાદા  આવી જાય છે. જેથી દિવ્‍યાંગો અને તેમના માતા - પિતા પણ નવરાત્રીના મહોત્‍સવને માણી શકે તે ઉદ્દેશ્‍યથી સંસ્‍થા દ્વારા નવે નવ દિવસનું આયોજન કરવામાં આવ્‍યું છે. નવરાત્રીના પ્રથમ દિવસે ધારા સભ્‍ય શ્રી ગોવિંદભાઈ પટેલ , મેયરશ્રી ડો. પ્રદીપ ડવ,    MD  PGVCL  શ્રી વરૂણ કુમાર ઉપસ્‍થિત રહ્યાં હતાં. તેમજ બીજા દિવસે રાજકોટ મ્‍યુનિસિપલ  કમિશનર શ્રી અમિત અરોરા, તેમજ જોઈન્‍ટ M.D. શ્રીમતી પ્રિતિ શર્મા, તેમજ ડેપ્‍યુટી મેયર દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી શ્રી કિશોરભાઇ રાઠોડ , અને નરેન્‍દ્રસિંહ ઠાકુર ઉપસ્‍થિત રહ્યા હતા. દિવ્‍યાંગોના કોઈ સ્‍ટેપ નથી હોતા પણ અમારા દિવ્‍યાંગોના ગરબામાં કઈક અલગ જ ઉત્‍સાહ હોય છે. મનોદિવ્‍યાંગો  ખૂબ જ સરળ રીતે ગરબાની મોજ માણી રહ્યાં છે. પૂજાબેન પટેલ અને ભાસ્‍કરભાઈ પારેખ તેમજ સંસ્‍થાની સમગ્ર ટીમ દ્વારા  કાર્યકમને સફળ બનાવવા આવ્‍યું છે.

(3:41 pm IST)