Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

રાજુલાના ઝાપોદરના વિજય કેસરીયાનો ઝેર પી આપઘાત

રાજકોટમાં મોતઃ માનસિક બિમારી કારણભુત

રાજકોટ તા. ૨૮: રાજુલાના ઝાપોદર ગામે રહેતાં વિજય બાબુભાઇ કેસરીયા (દેવીપૂજક) (ઉ.વ.૩૫) નામના યુવાને ૨૨મીએ વાડીએ હતો ત્‍યારે ખડમાં નાખવાની દવા પી લેતાં રાજુલા સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ગત મોડી રાતે મોત નિપજ્‍યું હતું. ભક્‍તિનગર પોલીસે પ્રાથમિક કાગળો કર્યા હતાં.

આપઘાત કરનાર વિજય બે ભાઇ અને છ બહેનમાં વચેટ હતો. તેને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. માનસિક બિમારીથી કંટાળીને પગલુ ભરી લીધાનું પરિવારજનોએ કહ્યું હતું. 

(11:45 am IST)