Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

માજી ગ્રહ મંત્રી સહકારી અગ્રણી વિપુલભાઈ ચોધરીને મહેસાણાથી જેલ ટ્રાન્સફર કરી સાબરમતી જેલમાં મોકલાયા, સલામતીનું કારણ આગળ ધરાયું

રાજકોટ તા. મહેસાણા દૂધ સાગર ડેરીમાં સતાનો દૂર ઉપયોગ પોતાના CA સહિતના સાથીદારોની માળાથી કરી કરોડો રૂપિયા ઓલવિ જવાનો જેના પર આરોપ છે તેવા ગુજરાતના પૂર્વ ગ્રહ મંત્રી અને દૂધ સાગર ડેરીના તત્કાલીન ચેરમેન વિપુલભાઈ ચોધરીની ક્રાઇમ બ્રાન્ચ અને લાંચ રૂશ્વત વિરોધી દ્વારા તેમની અટક કરી રિમાન્ડ પર લીધા બાદ વિશેષ રિમાન્ડ ન મળતા મહેસાણા સબ જેલમાં મોકલી આપેલ. 

  દરમિયાન આજે અચાનક સલામતી કારણ આગળ ધરી તેમને અમદાવાદ સાબરમતી જેલમાં મોકલી આપેલ છે. તેમની ધરપકડ બાદ તેઓ દ્વારા બનાવાયેલ અર્બુદા સેના દ્વારા ઠેર ઠેર દેખાવ કરવામાં આવી રહ્યા છે,

 

(8:15 pm IST)