Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

આંબેડકરજીની પ્રતિમા પાસે ભાજપના ઉમેદવારો પહોંચતા દલીત સમાજના આગેવાનોએ ભારે રોષ વ્‍યકત કર્યો...

રાજકોટઃ રાજકોટમાં ભાજપના ઉમેદવારો દ્વારા વિધાનસભા ચુંટણી અનુસંધાને પ્રચારનો ધમધમાટ જોવા મળી રહયો છે. જુદા-જુદા વિસ્‍તારોમાં ભાજપના ઉમેદવારો પ્રચાર કાર્ય કરી રહયા છે ત્‍યારે આજે સવારે રાજકોટના સિવિલ હોસ્‍પીટલ ચોક ખાતે આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભાજપના ઉમેદવારો ડો.દર્શીતાબેન શાહ, ઉદયભાઇ કાનગડ, રમેશભાઇ ટીલાળા સહીતના પુષ્‍પાંજલી અર્પણ કરવા આવ્‍યા હતા. ત્‍યારે દલીત સમાજના આગેવાનો પણ ત્‍યાં હાજર હતા અને તેમનો પણ  કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ભાજપના ઉમેદવારો આવી જતા દલીત સમાજના હોદેદારોએ ભારે રોષ વ્‍યકત કરેલ  અને જુદા-જુદા પ્રશ્ન ઉકેલવામાં ન આવતા અને તાજેતરમાં ભાજપના એક ગર્વનર કક્ષાની વ્‍યકિત દ્વારા ઉચ્‍ચારાયેલા ખૂબ જ નબળી કક્ષાના શબ્‍દ પ્રયોગ સામે પ્રચંડ રોષ દર્શાવી  ભાજપ સરકાર સામે નિવેદન પણ આપ્‍યું હતું. જો કે અંતે સમજાવટથી બંન્નેના કાર્યક્રમો યોજાયા હતા. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(1:36 pm IST)