Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

દેવદિવાળીના દિવસે ફટાકડા ફોડવા બાબતે પિતા-પુત્રને ત્રણ શખ્સોએ પાઇથી મારમાર્યો

માલધારી સોસાયટીમાં બનાવ : અશોક ભરવાડ, મહેશ ભરવાડ અને રવિ ભરવાડ સામે ગુનો

રાજકોટ,તા. ૨૭: માર્કેટ યાર્ડ પાસે માલધારી સોસાયટીમાં દેવદિવાળીના દિવસે રાત્રે ફટાકડા ફોડવા બાબતે પિતા-પુત્ર પર ત્રણ શખ્સોએ પાઇપ વડે હુમલો કરી તોડફોડ કર્યાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ માલધારી સોસાયટી શેરી નં.૧માં રહેતા નરશીંગદાસભાઇ ગોપાલદાસભાઇ પાંડે (ઉવ.૬૫) તા. ૨૫ના રોજ રાત્રે પોતાના ઘરે હતા. ત્યારે દેવદિવાળીના તહેવાર નિમિતે છોકરાઓ શેરીમાં ફટાકડા ફોડવા હોઇ, તેથી ફટાકડા ફોડવા બાબતે માલધારી સોસાયટીમાં રહેતા અશોક ઉર્ફે વિરમ ભરવાડ, મહેશ ઉર્ફે લાલો ભરવાડ અને રવિ ભરવાડે આવી નરશીંગદાસભાઇ સાથે બોલા ચાલી કરતા પુત્ર શંકરભાઇ વચ્ચે પડતા ત્રણેય શખ્સોએ લોખંડના પાઇપ વડે તથા ઢીકા પાટુનો માર માર્યો હતો અને ઘરમાં ઘુસી ડેલી અને દરવાજાને નુકશાન કરી નાશી ગયા હતા. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે નરશીંગદાસભાઇની ફરિયાદ દાખલ કરી હેડ કોન્સ. વી.કે. સોલંકીએ તપાસ હાથ ધરી છે.

(2:46 pm IST)