Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

વાંકાનેર સોસાયટીમાં નિવૃત પીએસઆઇ નાથાભાઇ લક્ષમણભાઇ બાલાસરાનો પત્નિના વિયોગમાં ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટઃ શહેરના જામનગર રોડ પર વાંકાનેર સોસાયટી-૫માં રહેતાં નિવૃત પીએસઆઇ નાથાભાઇ લક્ષમણભાઇ બાલાસરા (ઉ.વ.૬૦)એ બપોરે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. બનાવની જાણ થતાં ગાંધીગ્રામના પીએસઆઇ એચ. વી. સોમૈયા અને શિવભદ્રસિંહે ઘટના સ્થળે પહોચી કાર્યવાહી કરી છે. તેમણે વીઆરએસથી નિવૃતિ લીધી હતી. બનાવ બન્યો ત્યારે ઘરે કોઇ હાજર નહોતું. પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ યથાવત રાખી છે. આપઘાત કરનાર બે દિકરા છે. ધર્મપત્નિના અવસાન પછી પોતે ડિપ્રેશનમાં રહેતાં હતાં. પત્નિના વિયોગમાં આ પગલુ ભર્યાનું હાલ બહાર આવી રહ્યું છે.

(3:38 pm IST)