Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

છેતરપીંડી કરી નાણા ઓળવી જવાના ગુન્હામાં ધરપકડ ગેરકાયદેસર ઠેરવી જામીન મુકત કરતી નામદાર કોર્ટ

સ્ટાર ગ્રુપના નામે ઈનામી ડ્રો ના કાર્ડ છપાવી રૃપિયા બે કરોડની ઃ આરોપીઓના રીમાન્ડ રદઃ બચાવ પક્ષે એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા જોડાયા

રાજકોટઃ કમલેશભાઈ માધુભાઈ ભટ્ટીએ તા.૨૦/૬/૨૦૨૨ના રોજ ફરીયાદ નોંધાવેલ હતી અને જેમાં જણાવેલ કે આ કામના આરોપીઓ (૧) અસ્માબેન કાસમાણી, (૨) રંજનબેન માવજીભાઈ રાઠોડ, (૩) વિક્રમભાઈ રાઠોડ, (૪) ભુપત રામજીભાઈ વાઢેર, (૫) કેતન ઉર્ફે ટીનો પ્રવિણભાઈ ભટ્ટી, (૬) રજાકભાઈ કાસમાણી, (૭) સાહીદભાઈ આમદભાઈ વિગેરેએ સ્ટાર ગ્રુપ ઈનામી ધમાકાના નામે ઈનામી ડ્રોના કાર્ડ છપાવી ટુંકા સમયમાં એકના ડબલની લાલચ આપી જુદા- જુદા સમયે ભવ્ય ઈનામો ડ્રો યોજી સ્ટાર ગ્રુપના સભ્યો તથા તેના પરીવારના સભ્યોની ડીનર પાર્ટી યોજી રોકાણકારોને લાલચમાં નાંખી તેમના ગ્રાહકો પાસેથી કુલ રૃા.૧,૯૫,૯૪,૮૦૦ની રકમ ઉઘરાણી ઉપરોકત રકમ તથા સોનાના દાગીના રોકાણકારો પાસેથી મેળવી રોકાણકારોએ નાણા પરત માંગતા તેઓને નાણા પરત ન આપી જુદા- જુદા વાયદાઓ કરી પુર્વયોજીત કાવતરું રચી ફરીયાદી તથા અન્ય લોકોના નાણા ઓળવી જઈ ફરીયાદી તથા ગ્રાહકો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરેલ છે જે બાબતની ફરીયાદીએ ફરીયાદ નોંધાવેલી હતી. જે બનાવ સંબંધે એ- ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦ (બી), ૧૧૪ મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ હતી અને જેથી પુર્વયોજીત કાવતરું રચી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવા અંગેનો ગુન્હો નોંધાયેલ હતો.

ઉપરોકત ગુન્હા સંબંધે એ- ડિવીઝન પોલીસ સ્ટેશન દ્વારા આરોપી વિક્રમભાઈ રાઠોડ તથા ભુપત રામજીભાઈ વાઢેરની ધરપકડ કરવામાં આવેલી હતી અને ત્યારબાદ તેઓને નામદાર કોર્ટમાં ત્રણ દિવસના રીમાન્ડ સાથે રજુ કરવામાં આવેલ હતા. જેમાં એ- ડિવીઝન પોલીસ સ્ટેશન દ્વારા જુદા- જુદા મુદ્દાઓના આધારે રીમાન્ડ માંગવામાં આવેલ હતા. પરંતુ આરોપી તરફે એ મતલબની રજુઆત કરવામાં આવેલ કે હાલના આરોપીઓની ધરપકડ જ ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ સુપ્રિમકોર્ટના વિવિધ ચુકાદાઓ તથા સુઓમોટો એપ્લીકેશન મુજબ ૭ વર્ષની અંદરના ગુન્હાઓમાં આરોપીઓની જરૃર ન પડે ત્યાં સુધી ધરપકડ કરવાની રહેતી નથી અને જો તેઓની ધરપકડ કરવામાં આવે તો તેઓને યોગ્ય જામીન લઈને મુકત કરવાના હોય છે અને તે માટે જરૃરી કારણો દર્શાવવા જરૃરી છે પરંતુ આ કેસમાં તપાસ કરનાર અધિકારી દ્વારા આવા કોઈ કારણો કોર્ટમાં રજુ કરેલ નથી કે આરોપીઓની તપાસના કામે જરૃરીયાત ન હોવા છતા ખોટી રીતે ધરપકડ કરેલ છે.

આમ ઉપરોકત દલીલો તથા નામદાર ગુજરાત હાઈકોર્ટ સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓ તથા સુઓમોટો એપ્લીકેશન તેમજ પ્રોડકશન અને રીમાન્ડના કાગળો વિગેરે ધ્યાને લઈ નામદાર કોર્ટ દ્વારા આરોપીની ધરપકડ ગેરકાયદેસર ઠેરવીને તેઓને રૃા.૧૫,૦૦૦ના જામીન મુકત કરવામાં આવેલ હતા અને તપાસ કરનાર અધિકારી દ્વારા માંગવામાં આવેલ રીમાન્ડ પણ નામદાર કોર્ટ દ્વારા રદ કરવામાં આવેલ હતા.

આ કામમાં બચાવપક્ષે ભગીરથસિંહ ડોડીયા, જયવિર બારૈયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગર પરમાર એડવોકેટ તરીકે રોકાયેલા હતા.

(4:38 pm IST)