News of Monday, 27th June 2022
રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા પ્રમુખ શ્રી નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરુ શ્રી જીવરાજબાપુ) ની અધ્યક્ષતામાં આવતા દિવસોમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ ના વિદ્યાર્થી દીકરા- દીકરીઓના હિતાર્થે મેગા શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સરસ્વતી સન્માન સમારોહ તા.૧૫-જુલાઇ ને રવિવારે આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી જ્ઞાતિના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય મળી રહે તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સરસ્વતી સન્માન સમારોહમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના હોશીયાર વિદ્યાર્થીઓ, દીકરા-દીકરીઓને મદદરૂપ થવાના શુભ આશયથી સંપૂર્ણ પણે વિના મુલ્યે પાકા પુઠાનો ૧૫૦ પેજનો ચોપડો એવા ૧૦ ચોપડાનું પેકીંગ એવા એક સેટનું વિતરત દરેક ધોરણના વિદ્યાર્થીઓને આપવામાં આવશે સાથે સાથે સ્કુલ બેગ તથા દરેક વર્ગમાં પ્રથમ ૧ થી ૩ નંબર આવનાર વિદ્યાર્થીઓને શીલ્ડ આપી સન્માન કરવામાં આવે છે. આ સરસ્વતી સન્માન સમારંભમાં દર વર્ષે અઢીથી ત્રણ હજાર વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ પણ સાથે હાજર રહેતા હોવાનું યાદી માં જણાવાયુ છે.
વિદ્યાર્થી સન્માન સમારોહનો મુખ્ય હેતું વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે અને તેમનું સન્માન કરીને શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિજનોમાં શિક્ષણનું મહત્વ વધે તેવા પ્રયત્નો કાયમી ધોરણે કરવામાં આવે છે. જ્ઞાતિના દરેક બાળકો તેમજ યુવાભાઇઓ-બહેનો શિક્ષિત થાય અને બાળકોનું ભાવિ ઉજ્જવળ બને તેવા શુભ ઇરાદથી સમાજ દ્વારા શૈક્ષણિક પ્રવૃતિઓ ચલાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તક સહાય ધણા વર્ષોથી આપવામાં આવે છે. દરેક સમાનની પ્રગતિનો આધાર શિક્ષણ ઉપર રહ્યો છે. છેલ્લા ઘણાં વર્ષોમાં આવા પ્રયત્નો દ્વારા સમાજમાં શૈક્ષણિક પ્રગતિ થઇ છે. શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિમાં ડોકટરર્સ, એન્જીનીયર્સ, એડવોકેટસ, સોફટવેર એન્જીનીયર્સ તેમજ સરકારી ઓફીસર બનવા લાગ્યા છે. બાંધકામના વ્યવસાય ઉપર આધારિત આ સમાજ ધીરે ધીરે શૈક્ષણીક ક્રાંતિ દ્વારા અન્ય વ્યવસાય તરફ વળવા લાગ્યો છે. જે રીતે આધુનિક દુનિયામાં વિશ્વ આગળ વધી રહ્યુ છે તે જોતા એવુ લાગે છે કે શિક્ષણ સિવાય સમાજની પ્રગતી શકય નથી તેવું હવે સમાજના લોકો સમજવા લાગ્યા છે. પરંતુ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ રાજકોટના પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ) દ્વારા મેગા સરસ્વતી સન્માન સમારોહ તા.૧૫-૭ ને રવિવારે યોજવામાં આવી રહ્યો છે જે કાર્યક્રમની સમાજના દરેક વિદ્યાર્થીઓ તથા તેના વાલીઓ આતુરતાથી રાહ જોતા હોય છે. તેમ યાદીમાં જણાવાયુ છે.
આ વિશાળ આયોજનને સફળ બનાવવા માટે નરેન્દ્રભાઇ સોલંકીની રાહબરી તથા માર્ગદર્શન હેઠળ જ્ઞાતીના તમામ આગેવાનો તેમજ કાર્યકર્તાઓ પણ પ્રયત્નશીલ છે. આ માટે સમાજમાંથી સમાજના આગેવાનો બિલ્ડરો, ડોકટરો, વકીલો, એન્જીનીયરો, આકિટેકો વિ. નો સહયોગ મળી રહ્યો છે.
સરસ્વતી સન્માન સમારોહમા જ્ઞાતિજનોએ ઉમટી પડવા શ્રી નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજ બાપુ) દ્વારા નિમંત્રણ અપાયું છે.