Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

કાલે પુનમ નિમિતે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે ધ્યાનોત્સવ તથા સન્યાસ ઉત્સવ

માસ્ક-હેન્ડસેનીટાઇઝેશન-સ્પેશ્યલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમ

રાજકોટઃ ઓશોના સુત્ર ઉત્સવ આમાર જાતી અમાર ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો ઓશો સાહિત્ય પ્રદર્શનો ઓશો સન્યાસ ઉત્સવ ભજન કીર્તન, ગીત-સંગીત વિવિધ સંપ્રદાયના ઉત્સવો-વિશ્વદિવસ વગેરે રાજકોટમાં ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વનું એકમાત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર નીયમીત છેલ્લા ૩૫ વર્ષથી અવાર-નવાર ઉજવવામાં આવે છે. જેનુ સંચાલન સ્વામી સત્યપ્રકાશ કરી રહયા છે.

આવતીકાલે તા.૨૮ને ગુરુવારે પુનમ નિમિતે રાબેતા મુજબ હર પુનમ માફક પુનમ ઉત્સવ - સંધ્યા ઉત્સવ- ઓશો પ્રવચન દ્વારા આયોજન કરવામાં આવેલ છે. સમય સાંજના ૬:૪૫ થી ૭:૪૫ દરમિયાન ઉત્સવ ઉજવવામાં આવશે.

સ્થળઃ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪ વૈદ્યવાડી ડી'માર્ટની પાછળની શેરી રાજકોટ

કાર્યક્રમમાં સહભાગીતા માટે આધારકાર્ડની ઝેરોક્ષ લાવવી અત્યંત જરૂરી છે. વિશેષ માહિતી સ્વામી સત્યપ્રકાશ - ૯૪૨૭૨ ૫૪૨૭૬, સંજીવ રાઠોડ-૯૮૨૪૮ ૮૬૦૭૦

(2:53 pm IST)