Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

પંડિત દીનદયાલ ઉપાધ્‍યાયજીની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ

રાજકોટઃ જનસંઘના સ્‍થાપક પંડિત દીનદયાલ ઉપાધ્‍યાયજીની જન્‍મજયંતિ અંતર્ગત શહેર ભાજપ દ્વારા આજી ડેમ ખાતે પંડિત દીનદયાળજીની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ તકે રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજયના મંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્‍ય લાખાભાઈ સાગઠીયા, મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, બીનાબેન આચાર્ય સહીતના સાથે ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા અનિલભાઈ પારેખ, હરેશભાઈ જોષી, મહેશ બથવારએ જહેમત ઉઠાવી હતી.

(4:55 pm IST)