Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ધંધાની મંદીને લીધે લુહાર યુવાને કોઠારીયા ગામે એસિડ પીધું

રાજકોટ તા. ૨૬: કોઠારીયા રોડ રણુજા મંદિર સામે નંદનવન હાઇટ્‍સમાં રહેતાં અને લુહારી કામ કરતાં રાજાભાઇ જયસુખભાઇ ગોહેલ (ઉ.૩૪) નામના યુવાને કોઠારીયા ગામ પાણીના ટાંકાવાળા રોડ પર એસિડ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

રાજાભાઇ બે ભાઇમાં નાના છે. તેણે જણાવ્‍યું હતું કે હાલમાં ધંધામાં મંદી હોઇ આર્થિક સંકડામણને કારણે આ પગલુ ભર્યુ હતું.

(11:54 am IST)